Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દિન દયાળ યોજના ગુજરાત
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 : પંડિત દિન દયાળ યોજના ગુજરાત સરકારે રાજ્યના ગરીબ લોકોને આપી છે કે જેમની સરકાર દ્વારા પ્લોટ આપવામાં આવ્યો છે અથવા ખરીદ્યો છે, પરંતુ તે પ્લોટમાં મકાન બનાવવા માટે પૈસા નથી અથવા તેમની પાસે તેમના કાચા મકાનનું નવીનીકરણ કરવા માટે પૈસા નથી. તેણે પોતાનું પાકું મકાન બનાવવા માટે થોડી આર્થિક મદદ કરીને પોતાની જાતને મદદ કરવાનું શરૂ કર્યું. દિનદયાળ આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ગરીબ પરિવારોને આપવામાં આવશે જેમની પાસે પોતાનો પ્લોટ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવનાર ઘરમાં રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમ હશે. ગુજરાત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ફ્લેટ મળે છે યોજના હેઠળ અને પંડિત દિન દયાળ યોજના યોજના લોકો ના કાચા મકાન ના નવીનીકરણ માટે છે.
છેલ્લા પાંચ વર્ષમાં 5 ગરીબ પરિવારોને રૂ.256 કરોડના ખર્ચે આવાસ સહાય આપવામાં આવી છે.
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 ઉદેશ :
પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2022-23) દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ . હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાય છે તે અરજી ડોક્યુમેન્ટ પુરતાં ના હોય તેને પુરાંત માટે 10 પુર્તતા કરવાની હોય મોકલી આપવાના હોય છે ચકાસણી બાદ સ્થળ તપાસ કર્યા બાદ તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે.
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?
- આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
- લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
- જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
- લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
- જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
- અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
- બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
આપણવાંચો : સમગ્ર ગુજરાતનાં જમીન રેકોર્ડ | 7/12 નાં ઉતારા
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 સહાય કઈ રીતે મળશે?
पंडित दीन दयाल उपाध्याय आवास योजनाમાં લાભાર્થી ઉમેદવારને કુલ 1,20,000ની સહાય મળવા પાત્ર છે.
- પ્રથમ હપ્તો : રૂ. 40,000નો જે લાભાર્થીના ઘરનું કામ શરુ કરવામાં માટે આપવામાં આવે છે.
- બીજો હપ્તો : રૂ. 60,000નો જે લાભાર્થીનું મકાન લીંટર લેવલે પોગે ત્યારે આપવામાં આવે છે.
- ત્રીજો હપ્તો : રૂ. 20,000નો જે લાભાર્થીનું મકાન સંપૂર્ણ પૂરું થયા પછી આપવામાં આવે છે.
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 યોજના પાત્રતા માપદંડ
pandit din dayal upadhyay awas yojana 2023 માટે આવકમર્યાદા નીચે મુજબ છે
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 6,00,000
- આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 6,00,000
આપણવાંચો : બાળકોના આધારકાર્ડ માટેની પ્રોસેસ
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો.
- અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી મંત્રી / સિટી તલાટી મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
આપણવાંચો : ગુજરાત સોલાર પેનલ યોજના 2023
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 ઓનલાઈન અરજી કઈ રીતે કરશો?
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023ની અરજી માત્ર ઓનલાઈન જ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર આપેલ વેબ સાઈટ પર જઈને જ કરવાની રહેશે.
- સૌપ્રથમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- પ્રથમ વાર હોઈએ એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
- હવે લોગીન મેનુમાં પર ક્લિક કરો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ નાખો અને લોગીન કરો.
- આ રીતે તમે સાઈટ પર લોગીન કરી શકશો.
નોંધ: આ યોજનાની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ઓફિશિયલ વેબ સાઈટ પર જઈને યોજનાની લગતી માહિતી ચેક કરી લેવી અને પછી ઓનલાઈન અરજી કરવી.
સત્તાવાર વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
આવાસ યોજના 2023 જાહેરાત | વાંચો |
નવા યુઝર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરેલ યુઝર અરજી | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Post a Comment